હેલો,એવરીવન!
કેમ છો બધાં, મજામાં ને???
આશા રાખું છું કે બધાં મજામાં હશો.
આજે હું તમારી સાથે એક સરસ વાત શેયર કરવા માંગું છું.
*
એક સાંજે હું ચા પીતાં-પીતાં ટી.વી જોઈ રહી હતી. અને મારી એક ફ્રેન્ડનો ફોન આવે છે. હાય, હેલો ને થોડીઘણી આડીઅવળી વાતો કર્યા પછી તેણે મને કહ્યું, “એ બધું છોડ, આજે તને એક મસ્ત વાત કહું. ” મેં પણ કહ્યું, “હા, બોલ. ” પછી તેણે મને વાત કરી કે, એની ઓળખાણમાં જ કોઈ અંકલ છે, તેઓ એક દિવસ કોઇ કામથી હોસ્પિટલમાં ગયાં હતાં. ત્યાં તેમણે જોયું કે, એક બાળકીનો થોડા સમય પહેલાં જ જન્મ થયો છે અને તેની માતા તેને જન્મ આપતાંની સાથે જ મૃત્યુ પામી છે. તે બાળકીના પિતા તો એક મહિના પહેલા જ કોઈ એક્સિડેન્ટમાં મૃત્યુ પામ્યાં હોય છે. હવે, પ્રશ્ન એ ઊભો થાય છે કે, આ બાળકીનું શું થશે? તેનાં સગા-વહાલાં કે ઓળખીતામાંથી પણ કોઈ તેની જવાબદારી લેવા તૈયાર થતું નથી. ત્યારે આ અંકલ આગળ આવે છે અને કહે છે, “હું લઈશ આ દિકરીની જવાબદારી!!! હું તેને ઉછેરીને મોટી કરીશ. ભગવાનની કૃપાથી મારે એક દિકરો છે, પણ એકે’ય દિકરી નથી. ” ત્યારબાદ, તેમણે આ બાળકીને ઘરે લાવે છે.
આજે તેને ઘરે લાવ્યાંને ઘણો સમય થઈ ગયો છે અને 2 અઠવાડિયા પહેલા જ તેનું સરસ મજાનું નામ પણ રાખ્યું છે- આયુષી🌺
*
આ કિસ્સો તમારી સાથે શેયર કરવાનો આશય એ જ કે, આવાં સત્કાર્યોની બધાને જાણ થાય. ઘણીવાર આપણને આસપાસના લોકો પાસેથી કે ગમે ત્યાંથી સાંભળવા મળતું હોય છે, “કોઈ કોઈનું હોતું નથી”, “બધાને પોતાના સ્વાર્થથી જ મતલબ હોય છે”, ” દુનિયા મતલબી છે “, વગેરે વગેરે. એવું પણ સાંભળવા મળે છે કે,” માણસાઈ શબ્દ આજકાલ પ્રવચનોમાં વધારે ને વ્યવહારમાં ઓછો જોવા મળે છે “. ક્યારેક અમુક કિસ્સાઓ સાંભળીને કે વાંચીને આપણું મગજ એ તથ્ય માનવા તૈયાર પણ થઈ જાય છે. અને તેથી જ હું માનું છુ કે, આવા સારાં કિસ્સાઓ લોકો સાથે શેયર કરવા ખૂબ જ જરૂરી છે, જે તમને યાદ અપાવે છે કે, ‘માણસાઈ નામનો છોડ, હજુ પણ પૃથ્વી પર શ્વાસ લઇ રહ્યો છે’. આ કિસ્સો સાંભળીને તથા તમારી સાથે શેયર કરીને ખૂબ જ આનંદની લાગણી અનુભવી રહી છું. જો આ વાંચીને તમને પણ આનંદ થયો હોય તો સમજીશ મારું લખવું સફળ થયું.
આ તો થયો એક જ કિસ્સો, જેની મને જાણ હતી, જો તમે આજુબાજુમાં નજર કરશો તો આવા કિસ્સા ક્યાંકને ક્યાંકથી જરૂર મળી રહેશે.
જ્યારે જ્યારે બસમાં કોઈ વ્યક્તિને પોતાની સીટ, અજાણ્યા વૃધ્ધને આપતા જોઉ છું, ત્યારે ત્યારે થાય છે, આ છોડ( જેની આપણે આગળ વાત કરી) શ્વાસ લઇ રહ્યો છે…..
જ્યારે જ્યારે સ્કૂલે જતું કોઈ નાનું બાળક, પોતાની પોકેટમનીમાંથી પૈસા ખર્ચીને તેને રસ્તામાં મળતાં ગલૂડિયાંને, ભૂખ્યું જાણીને બિસ્કીટ ખવડાવે છે, ત્યારે ત્યારે થાય છે, આ છોડ શ્વાસ લઇ રહ્યો છે…..
અને જ્યારે જ્યારે આવા કિસ્સાં સાંભળું છું, ત્યારે ત્યારે થાય છે, આ છોડ શ્વાસ લઇ રહ્યો છે….. ❤
માણસાઈ નુ છોડ માત્ર લાગણી ની ભેજ જ ઈચ્છે છે
Superb ✍️🙌
LikeLiked by 1 person
Wah! 😇👌
LikeLiked by 1 person
Kindness always comes back…😇
LikeLiked by 1 person
Great .work
LikeLiked by 1 person